સંસ્કૃત વર્ણ પરિચય
સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે.
સંસ્કૃતમાં ૧૩ સ્વર અને ૩૩ વ્યંજન મળી કુલ ૪૨ વર્ણ છે.
સ્વર : જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઇ શકે છે તેને સ્વર કહે છે .
अ, आ, इ, ई, उ, ऊ, ऋ,ॠ, ॡ ,ए, ऐ, ओ, औ = આ ૧૩ સ્વર છે.
સ્વરના બે પ્રકાર છે. — હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર
अ, इ, उ, ऋ, ऋ = હ્રસ્વ સ્વર
आ, ई, ऊ, ॠ, ए , ऐ, ओ, औ = દીર્ઘ સ્વર
સંયુકત સ્વર : ए, ऐ, ओ, અને औ આ ચાર દીર્ઘ સ્વરને સંયુકત સ્વર કહે છે.
કારણ કે બે સ્વર ભેગા મળીને આ સ્વર બનેલા છે.
જેમ કે.
अ કે आ + इ કે ई = ए
अ કે आ + ए = ऐ
अ કે आ + उ કે ऊ = ओ
अ કે आ + ओ = औ
ગુણ અને વૃદ્ધિ :
સંયુકત સ્વરમાં इ કે ई નો ગુણ ए છે. અને उ કે ऊ નો ગુણ ओ છે.
તે જ રીતે इ કે ई ની વૃદ્ધિ ऐ થાય છે.
આ જ રીતે उ કે ऊ ની વૃદ્ધિ ओ થાય છે.
अ નો ગુણ अ અને વૃદ્ધિ आ ગણાય છે.
સજાતીય અને વિજાતીય સ્વર : अ – आ, इ – ई, उ – ऊ એ સજાતીય
અથવા સવર્ણ સ્વરોનાં જોડકાં છે.
જયારે આ સિવાયના બીજા કોઇ પણ સ્વરોનાં જોડકાં વિજાતીય છે,
अ – इ – आ- ई, अ – उ આ વિજાતીય જોડકાં છે,
વ્યંજન :-
જે વર્ણનો સ્વતંત્ર રીતે ઉચ્ચાર થઇ શકતો નથી પણ કોઇ પણ સ્વરની
મદદથી જેનો ઉચ્ચાર થઇ શકે છે.તે વર્ણને વ્યંજન કહે છે.વ્યંજન ૩૩ છે.
क्. ख् ,ग् , घ् ,ङ् = क् વર્ગ
च् ,छ् ,ज् ,झ्, ञ् = च् વર્ગ
ट् , ठ्, ड्, ढ् , ण् = ट् વર્ગ
त् ,थ् ,द् ,ध् ,न् = त् વર્ગ
प्, फ्, ब् ,भ् , म् =प् વર્ગ
य्, र्, ल्,व व् = વર્ગ અન્તઃસ્થ કે અર્ધસ્વર
श्,ष् स् = ઉષ્માક્ષર
ह् = તે મહા પ્રાણ કહેવાય છે.
ઘોષ અને અઘોષ વ્યંજન
દરેક વર્ગના પહેલા બે વ્યંજન એટલે કે क्. ख् च् ,छ् ट् , ठ्, त् ,थ् प्, फ् श्,ष् ,स्
આ ૧૩ વ્યંજન અઘોષ અથવા કઠોર વ્યંજન કહેવાય છે.
બાકીના બધા વ્યંજન એટલે કે
(ग् , घ् ,ङ्) (ज् ,झ्, ञ्) (ड्, ढ् , ण्)
(द् ,ध् ,न्) (ब् ,भ् , म्)
(य्, र्, ल्, व् ह्)
આ ૨૦ વ્યંજન ઘોષ અથવા મૃદુ વ્યંજન કહેવાય છે.
અનુનાસિક – દરેક વર્ગનો છેલ્લો વ્યંજન એટલે ङ् ,ञ्, ण्, न्, म् આ પાંચ
વ્યંજનો અનુનાસિક વ્યંજન કહેવાય છે.
જોડાક્ષર – બે અથવા વધારે વ્યંજનો મળીને જોડાક્ષર કહે છે.
प् + र् = प्र મળીને થાય છે.
क् + ष् = क्ष મળીને થાય છે.
ज् + ञ् = ज्ञ મળીને થાય છે.
અનુસ્વાર અથવા વિસર્ગ – આ બન્ને ઉચ્ચાર સ્વર સાથે જોડીને બોલવામાં કે લખવામાં આવે છે.
No comments:
Post a Comment