Important post

Wednesday, 11 November 2020

ગુજરાતમાં આખરે 23 નવેમ્બરથી સ્કૂલો ખુલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શરૂ થશે

 23 નવેમ્બરથી સ્કૂલો ખુલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શરૂ થશે

ગુજરાતમાં આખરે શાળાઓ અનલૉક : આ તારીખથી માધ્યમિક, ઉ.માધ્યમિક અને કોલેજો ખોલવાની જાહેરાત.

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખુલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શરૂ થશે


ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખુલશે. ધોરણ 9થી 12 SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. ધો.9થી 12નાં વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે.


આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન દિવાળીના બે-ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે, પણ આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો છે.


આગળના સત્રની ભરપાઈ બીજા સત્રમાં કરાશે

બીજું સત્ર 150થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.

23મી નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ


23નવેમ્બરથી ધોરણ 9-12ના વર્ગો ભારત સરકારની ગાઈડલાઈન સાથે શરૂ થશે


મેડિકલ અને પેરામેડિકલ, ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયરિંગ, પોલીટેકનિક, ITI શરૂ થશે


શાળા-કોલેજમાં વિદ્યાર્થીની ગેરહાજરી નહી ગણાય


વાલીઓની લેખિત મંજૂરી શાળા-કોલેજે લેવાની રહેશે


ઓનલાઈન શિક્ષણ પણ ચાલૂ રહેશે


ગુજરાતમાં 23મી નવેમ્બરથી ખૂલશે શાળા-કોલેજ


દિવાળી પછી 23મી નવેમ્બરથી ગુજરાતમાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, કોલેજ, યુનિવર્સિટીમાં વર્ગશિક્ષણ શરૂ થશે


ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઈનના પાલન સાથે શરૂ થશે


ધોરણ 1 થી 8ના વર્ગો ક્યારે શરૂ કરવા તે આ શાળા-કોલેજના અનુભવો પછી નક્કી કરાશે


ઓડ-ઈવનનો વિકલ્પ છે, જ્યાં ધો.9 અને 10 છે ત્યાં સોમ, બુધ શુક્ર 9મું ધોરણ અને બાકીના મંગળ, ગુરુ, અને શનિએ 10મા ધોરણના વર્ગો શરૂ રહેશે


ધોરણ 11 અને 12 માટે પણ ઓડ-ઈવનના ધોરણે શૈક્ષણિક વર્ગો શરૂ થશે


કોલેજો-યુનિવર્સિટીઓમાં પણ 23મી નવેમ્બરથી શૈક્ષણિક વર્ગો શરૂ થશે


કોલેજ-યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે


ગ્રેજ્યુએટ કક્ષાએ માત્ર ફાઈનલ ઈયર એટલે કે કોલેજના છેલ્લા વર્ષમાં હોય એના જ ક્લાસ જ શરૂ થશે


ઈજનેરી, પોલિટેકનિક, ITIમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના જ ક્લાસ શરૂ થશે


શાળા કોલેજોએ દરેક વિદ્યાર્થીને વાલીની સંમતિનું ફોર્મ આપવાનું રહેશે અને સંમતિ મેળવવાની રહેશે


પ્રાર્થના, રિસેસમાં બાળકો એકઠા ન થાય તે માટે શાળા-કોલેજ ધ્યાન રાખશે


મધ્યાહન ભોજનની સબસિડી બાળકના વાલીના ખાતામાં ડિસેમ્બર સુધી જમા થતી રહેશે


કોઈ બાળકમાં સિમ્ટમ્સ દેખાય તો આચાર્ય નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરશે અને સારવાર મળે તે સુનિશ્ચિત કરશે


નોકરી કરતા તમામ શિક્ષકોએ શાળાએ આવવું પડશે


શાળા-કોલેજ પર આવતા વિદ્યાર્થીઓને થર્મલ ગનથી સ્કેન કરાશે

No comments:

Post a Comment